આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘દે દાન છૂટે ગિરાન જેવું કરવું પડશે.’

‘પણ આ ગ્રહ કાંઈ સામાન્ય નથી. એનો વેધ પણ વધારે છે. એમાંથી છૂટવા માટે તો અસાધારણ દાન કરવું પડશે.’

‘અન્નદાન ?’

‘નહિં.’

‘વસ્ત્રદાન ?’

‘આમાં ન ચાલે.’

‘તાંબાદાન કે રૂપા-દાન !’

‘આ કાંઈ મામૂલી ગ્રહણ નથી, શેઠ.’

‘સુવર્ણદાનની વાત છે !’

‘એટલેથી રાહુને સંતોષ ન થાય. આ તો પાંચ હજાર વર્ષ પછી આવેલું અસાધારણ ગ્રહણ છે.’

‘તો પછી શાના દાનની વાત કરે છે ? એ તારા ગ્રહણમાંથી સૂરજદેવને કન્યાદાન સિવાય બીજું કોઈ પણ દાન આપવા હું તૈયાર છું.’

આટલું કહીને સર ભગને તિલોત્તમા ભણી જરા સંશયગ્રસ્ત અને સૂચક નજર ફેંકી.

કન્યાદાનને ઉલ્લેખ સાંભળીને તિલોત્તમા લોકરૂઢિ મુજબ જરા લજ્જા અનુભવવાનો ડોળ કરી રહી.

આથી, સર ભગને પોતાના નિવેદનમાં સુધારો જાહેર કર્યો.

‘કન્યાદાન પણ આપું, પણ પેલા કપાતર કંદર્પને તો ધોળે ધર્મે પણ નહિ. સમજી ને ?’

‘તો પછી કોને આપશો ?’

‘પ્રમોદરાયને.’

‘પપ્પા, એ પ્રમોદરાયને તે અમે બધી બહેનપણીઓ પ્રમાદધન જ કહીએ છીએ.’

‘તે ભલા હું એમ પૂછું, કે પ્રમાદધન શો ખોટો હતો ?