આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૫૪]
"બ લોહ અવ્વલ અલેફ્બેતે ન ખ્વાની,
"ઝે કુરાં દરસ ખ્વાન્દન કય તવાની ?”

ભાવાર્થ કે :—

“મેં સાંભળેલું છે કે કોઈ શિષ્ય મહાત્માની પાસે દીક્ષા લેવા ગયો. ગુરુએ કહ્યું કે, 'તું કોઈને ચાહતો નથી, માટે શિષ્ય થઈ શકશે નહિ. કોઈના પર પણ આશક થઈને તું આવે તો તને દીક્ષા આપું. ઈશ્ક મિજાઝીની તો તને ખબર નથી, તો હું તને હકીકતની તાલીમ શી રીતે આપું ? પાટી પર 'અલેફ્બેતે’ નહિ ઘૂંટે તો તને કુરાન વાંચતાં શી રીતે આવડશે ?”

અહીંયાં અપરા પ્રીતિના સાધનને પરા ભક્તિ માટે આવશ્યક ગણવામાં આવ્યું છે.

હદ્દીસ શરીફ જેમાં ઈસ્લામી પેગંબરની સવિસ્તર તવારીખ છે, તેમાં ઉલ્લેખ છે કે –

'અલ મિજાઝો કન્‌તર-તુલ્-હકીકતે; અલ્ ઈન્સાનો મીર અતુલ્ ઇન્સાન,'

'ઇશ્ક મિજાઝી એ ઈશ્ક હકીકીની સીડી છે; ઈન્સાન એ ઈન્સાનને જોવાનો આયનો છે.'

આ ઉપરથી જોવાનું છે કે, વ્યક્તિ તરફનો પ્રેમ પણ જો સામાન્ય નહિ પણ અનન્ય અને અલૌકિક હોય, તો તે ઈશ્વરી પ્રેમના સાક્ષાત્કારમાં ઘણી વધારે મદદ કરે છે. એ જ ગ્રંથમાં કહેલું છે કે:—

'અલ્ ઇશ્કો જુનોજુન રફદો બીના ઉલ અકલે:' 'અલ ઇશ્કે નારૂન ફિલ્‌કલ્બે તહર્રરકો મા સેવલ્લ મેહબૂબે.'

એટલે, “ઇશ્કનું લક્ષણ જ છે કે અક્કલની બીનાને તે ઉખાડી નાંખે છે. ઇશ્કની આગ એવી છે કે તે મેહબૂબ (યાને પ્રિયતમા) સિવાય બીજું બધું ભસ્મ કરે છે.”

અમેરિકાનો સુપ્રસિદ્ધ વેત્તા એમર્સન પણ આને ઘણે અંશે મળતા વિચારો જણાવે છે. તે કહે છે કે સ્નેહનું દર્શન