આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭૨ ]

'પ્રેમસુરત બાંધી પ્રેમથી રે,
'લાગી પ્રેમની તાળી તાન રે,
'એમ પ્રેમ મણિ નિજ ધ્યાનમાં રે–
'સો-ગીત અભેદનાં ગાઈએ રે.'

(સુદર્શન, જૂનઃ ૧૮૯૬)

ઉપરાંત, “પ્રેમજીવન” અને “અભેદોર્મિ માં પણ એવા જ ઉદગારો છે. (પ્રેમમય ઉપાસ્ય બ્રહ્મા, કાવ્ય ૧૧ મું અને અભાનોર્મિ, કાવ્ય ૧૧ મું.)

કલાપીના ઉદગારોમાં કોઈ કોઈ પ્રસંગે એવા ઊભરા આવે છે. ('ઈશ્કનો બન્દો” અને 'અમારી પિછાન.')

સ્વામી રામતીર્થ જેઓ આખી દુનિયાને અદ્વૈતાનુભવ જાહેર કરે છે, એમના નિજાનન્દને અદ્દભુત બહાર જોઈએ:

'સબ વેદ ઓર દર્શન, સબ મઝહબ, કુરઆન, અંજિલ ઔર ત્રપટકા,
'બુદ્ધ, શંકર, ઈસા ઔર અહમદ, થા રહના, સહના ઈન સબકા,
મુઝમેં ! મુઝમેં ! મુઝમેં ! મુઝમેં !
'થે કપિલ, કનાદ ઔર અફલાતૂં, અસ્પેન્સર, કેટ ઔર હેમિલ્ટન,
શ્રી રામ, યુધિષ્ઠિર, અસકન્દર, બિક્રમ, કેસર ! અલઝબથ, અકબર,
મુઝમેં ! મુઝમેં ! મુઝમેં ! મુઝમેં !

ગુજરાતના પ્રાચીન ભક્તોએ પણ વિલક્ષણ અનુભવાત્મક ઉદ્દગારો રજૂ કરેલા છે –

'ભેખકી ટેક ચલી ખટદર્શન, ભેખ નહીં તહાં ટેક કીનાકી ?
'ટેકકી ચલી જો દશોદિશ, ટેક હમારી તો હે જો ફનાકી:
'લૂંડ કહો, કોઉ ભંડ કહો, પાખંડ કહો, અરૂ કહો જો ભિખારી!
'સજજન કહો, દુરિજન કહો, અરૂ ચોટ્ટ કહો, કેવું કહે બ્રહ્મચારી !
કાહકો પાવ ટિકે નહીં નહાં લે, જહાં જાઈ કીની અખે જો પથારી !
* * *
'માલા ન પહેરું, ટીકા ન બનાઊં, શરણે ન જાઊં મેં કોઉ કીસીકી,
'આપા ન મેટુ, થાપા ન થાપૂં મૈં મદમાતા હૂં મેરી ખુશીકા;