આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
ગુલાબસિંહ.

રે નિરાધાર બાલા ! શું તારાં માતા પિતાના પરિચિત સ્થાનમાંજ તેમને પાછાં દેખવાથી ડરે છે !

શું ત્યારે ગુલાબસિંહ નક્કી દિલ્હીથી જનાર છે ! મા એને હવે નહિજ દેખે ! રે મૂર્ખ ! આ વિચાર વિના બીજો વિચાર વધારે દુઃખકર્તા છેજ ક્યાં ? ભૂતકાલ !–તે તો ગયો. ભવિષ્ય !–ભવિષ્ય — છેજ ક્યાં ?– ગુલાબસિંહ ગયો તેની સાથેજ ગયું. પણ આ તો તેજ રાત્રી છે કે જે રાત્રીએ હું ગમે તેમ થશે તો પણ તને મળીશ એમ ગુલાબસિંહે ત્રીજા દિવસ પર કહ્યું હતું. જો એની વાત માનીએ તો, આજનો સમય રમાના ભવિષ્યમાં કોઈ વિચિત્ર પ્રસંગનો હોવો ઘટે. એ આવશે, તો લાલાના અપમાન ભર્યાં શબ્દો એને શી રીતે સંભળાવીશ ? વિશુદ્ધ અને અપરાજિત હૃદય પોતાને પડેલાં કષ્ટ બીજા આગળ રડી શકતાં નથી. માત્ર પોતાનાં સુખ અને વિજયજ વર્ણવી શકે છે, પણ આટલી રાતે ગુલાબસિંહ આવશે ?– એને મળવું ? મધ્યરાત્રીનાં ચોઘડીયાં ગડગડવા લાગ્યાં, પણ તે રમાએ પૂરાં સાંભળ્યાંએ નહિ, સુવાની તૈયારી કરતી હતી એટલામાં ઘોડાની ૫ડઘી સંભળાઈ, અવાજ બંધ થયો, બારણું ઠોકાયું, પોતાનું નામ દેતું કોઈને સાંભળ્યું. નીચે જઈ બારણું ઉઘાડ્યું.

ગુલાબસિંહ ઘણી ઝડપથી અંદર આવ્યો સ્વારીનો પોશાક એણે કસી લીધો હતો, અને બોકાનીથી સજડ કરી લીધેલા શિરપેચથી એનો ભપકો કાંઈ જુદોજ જણાતો હતો. બાલા એની પાછળ જે ઓરડામાંથી આવી હતી તેમાંજ ગઈ; ને શરમાતી તથા ધ્રુજતી પોતાના હાથમાં ઝાલેલા દીવાના પ્રકાશથી, સોનેરી લટોની વચમાં ચળકતા વદનને અધિક પ્રકાશિત કરતી સામે ઉભી રહી.

મા !” ગુલાબસિંહે ઘણા માર્મિક આવેશ ભર્યાં વચને કહ્યું “હું તને બચાવવાને હજી એકવાર તારી પસે આવ્યો છું. એક ક્ષણ પણ કરોડની જાય છે. તારે મારી સાથે નાશી છૂટવું જોઈએ. નહિ તો પેલા ઉમરાવનો ભોગ થઈ પડવું પડશે. જે જોખમ હું મારે માથે આ રીતે વહોરૂં છું તે હું બીજાને આપત : તું જાણે છે કે હું આપવા ખુશી છું; પણ તે તારે યોગ્ય નથી – પેલો અપ્રેમી જયપુરીઓ. હું તારો હાથ ઝાલવા તૈયાર છું, મારા પર વિશ્વાસ રાખ, અને ચાલ.” એણે અતિ પ્રેમથી એનો હાથ ઝાલ્યો, અને ઘણી આતુર દૃષ્ટિથી એની આંખ સામું જોઈ રહ્યો.

“તારી સાથે ચાલું !” મા બોલી. કેમકે એ વચન તે ખરૂં કે