આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
ગુલાબસિંહ.

જ આપણાં નાયક નાયિકા — ગુલાબસિંહ, મા તેમનો પણ વિપ્લવ છે.

રજપૂતો છુપા છાના આમ તેમ રાત્રીએ દિવસે ભરાતા રહે છે. અનેક વિચાર, વિતર્ક, આ પરાજયમાંથી છૂટા થવા માટે યોજે છે, પણ કાંઈ ઉપજતું નથી. હજારો મુસલમાનોના ટોળા વચ્ચે થઈને તેમનામાંના સો માણસોએ સંયોગતાને તેની દાસીઓ સાથે યમુનાતટે સતી કરી તે સમયથી ક્ષત્રિય અને મુસલમાનો વચ્ચેનો વિરોધ બહુ તેજ ઉપર આવી ગયો હતો. કાજીઓએ શાહને સમજાવી સતી થવાનો પ્રચાર બંધ કરવાનું ફરમાન કઢાવ્યું હતું, હિંદુઓના દેવાલય, ધર્મસ્થાન, બંધ થયાં હતાં, મુનાનું પવિત્ર જલ પણ ગોવધથી અપવિત્ર થઈ ગયું હતું. રજપૂતોના પ્રાણ ગયા વાંકે રહ્યા હતા, નિત્ય પાંચ પચાસ મરતા હતા, ઠામ ઠામ બખેડા ચાલુ હતા. પ્રજા શાન્તિથી વશ થાય તેમ ન હતી, એટલે જુલમનું જોર ચોપાસ વગર કાયદે નજરમાં આવે તેમ ચાલવા માંડ્યું હતું.

બંદાનું આ સમયમાં અધિરાજ્ય થવાનો સંભવ ન હતો. તેનો શેઠ આ લડાઈમાં કપાઈ મુવો હતો, અને તેનો જે નાસ્તિક મત હતો તે હવે હાબુદ્દીનની કચેરીમાં વગ ધરાવતો ન હતો. બંદાને ‘કાફર’ ભેગોજ ગણવામાં આવતો, અને કાફુર નામના ન્યાયાધીશ–કાજી–ને જેટલા કાફર હાથ આવે તેમને ગરદન મારવાની આજ્ઞા કરવાનું કામ સોંપેલું હતું, જેનો અમલ કરવામાં તે જરા પણ પાછો હઠે તેમ ન હતો. આ ઉપરથી બંદો પોતાના શત્રુરૂપ આ કાફુરનો ઘાટ કરવા ફરતો હતો કે, એમ કરતાં વખતે પોતે કોઈને પ્રિય થઈ સંકટમાંથી ઉગરી જાય. લાલાજી પણ બંદાની સાથે આ તોફાનમાં પડેલો હતો, એટલે એ પણ આ સમય ઉપર દિલ્હીમાં જ હતો. કેટલાક ફકીર અને ઓલીઆઓની મદદથી પોતાને કાંઈક લાભ થવા માંડ્યું છે એવું કહીને લાલાજીએ મુસલમાન થઈ જવાનો વિચાર ઠેકાણે ઠેકાણે જણાવવા માંડ્યો હતો, તેથી એને કાંઈ ભય રહ્યું ન હતું. માને પણ નસાડી લાવનાર લાલોજ હતો, એ આપણે જાણીએ છીએ. તે બીચારીને પણ, પાણિપતના મહાયુદ્ધ પહેલાં થોડાક જ દિવસ આગળથી, લાલાએ દિલ્હીમાં લાવીને રાખી હતી.

યુનાના તટ ઉપરની એકાન્ત ધર્મશાલામાં લાલાએ મુકામ રાખ્યો હતો. સાથે પોતાની પ્રિયતમા પેલી હિમાલયમાંની ગાપિકા પણ હતી.

“પ્યારા ! ખુબ યાદ રાખજે કે અહીંથી તારે નાશી જવું હોય કે રહેવું હોય, કે મરવું હોય, તો તે બધામાં હું તારી સાથે જ છું, તારી છું, એની તો તને ખાતરીજ છે કે નહિ ?”