આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[આજે તો પોઢી લે, બચ્ચા ! કેમ કે એ સમય જલદી આવી પહોંચશે, જ્યારે રણશિંગ ને પડઘમથી તારી નિદ્રા ઊડી જશે. માટે આજે તો આરામ લઈ લે; કેમ કે સંગ્રામ આવે છે. જુવાની બેસતાં, અને જાગૃતિ આવે છે દિવસ ઊગમતાં.]

કાઠિયાવાડ-ગુજરાતમાં ગઢો છે. કિલ્લા છે, સંગ્રામોના ને વીરમૃત્યુના ઇતિહાસ છે. પરંતુ કોણ જાણે શા કારણે એ શૌર્યના સૂરો જૂનાં હાલરડાંમાં જાગ્યા નથી. ફક્ત કૃષ્ણજીવનમાંથી કાળીનાગના દમનના ને કંસવધના ક્ષીણ ધ્વનિઓ ક્યાંક ક્યાંક લોકમાતાઓના કંઠમાંથી નીકળ્યા છે :

ડોશી એમ કરીને મેણું બોલિયાં રે લોલ,
તારા બાપનાં હતાં તે વેર વાળને રે લોલ,
માડી અમને તે વાત કરી આલને રે લોલ.
જાવું મામાને ઘેરે મળવા રે લોલ.
સાંકડી શેરીમાં મામો સામા મળ્યા રે લોલ,
ભાણેજ દેખીને મામો સંતાઈ ગિયા રે લોલ.
સંતા સંતા મા મામા મૂરખા રે લોલ,
આપણે મામો-ભાણેજ બહુ મળીએ રે લોલ.
હૈયું ભીંસીને મામો ભાણેજ બહુ મળ્યા રે લોલ,
તારા બાપનાં હતાં તે વેર વળી ગિયાં રે લોલ.
[‘રઢિયાળી રાત’]

અથવા તો –

મા મને હાઉલું દેખાડ્ય
મા મને હાઉલું દેખાડ્ય
હાઉ છે લંકા લખેશરી !
માડી, મને નવ જાણીશ નાનકો;
કાલે મોટેરો થઈશ.
કાલે મોટેરો થઈશ
વેરી મારીશ આપણા.
[‘રઢિયાળી રાત’]

અથવા કદાચ બહુ તો –

પાતાળે જઈ કાના હાં હાં હાં
નાથ્યો કાળી નાગ;
વારિ ને વરમાંડ ડોલ્યાં
મેવાડો મસ્તાન
ભાઈ ! ભાઈ ! મેવાડો મસ્તાન !
ઓળોળોળો હાલ્ય હાલુડા હાલ્ય !
હાલો વાલો રે બાળ કરસન કાળો
હરિને હીંચકો વા’લો!
[‘રઢિયાળી રાત’]

આવા સાદા સ્વરોમાં કોઈ કોઈ ઠેકાણે જ –

228
લોકગીત સંચય