આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણને વકીલ-દાક્તરની ઓળખાણ કરાવે છે. મારો મત એવો છે કે વકીલે હિંદુસ્તાનને ગુલામી અપાવી છે અને તેઓએ હિંદુ-મુસલમાનના કજિયા વધાર્યા છે; તેઓએ અંગ્રેજોની સત્તા વધારી છે.

वाचक :

આવાં તહોમતો મૂકવાં સહેલાં છે; પણ સાબિત કરતાં મુશ્કેલી પડે. વકીલ વિના કોણ આપણને સ્વતંત્રતાનો માર્ગ બતાવત? તેઓ વિના ગરીબનો બચાવ કોણ કરત? તેઓ વિના દાદ કોણ અપાવત? જુઓ; મરહૂમ મનમોહન ઘોષે કેટલાને બચાવ્યા? પોતે તેમાંથી એક પેની સરખી નહીં લીધેલી. કૉંગ્રેસ કે જેનાં તમે જ વખાણ કરી ગયા તે વકીલોથી નભે છે ને તેઓની મહેનતથી તેમાં કામ થાય છે. આ વર્ગને તમે વખોડો એ તો ન્યાયનો અન્યાય કર્યા બરોબર છે. એ તો તમારે હાથ છાપું

૯૨