આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યું એટલે તમે ગમે તેમ બોલવાની છૂટ લીધા જેવું જણાય છે.

अधिपति : તમે માનો છો તેમ એક વેળા હું પણ માનતો. વકીલોએ કોઈ દહાડો કંઈ જ સારું નથી કર્યું એમ મારે તમને નથી બતાવવું. મિ. મનમોહન ઘોષને હું માન આપું છું. તેમણે ગરીબોને મદદ કરેલી એ વાત બરોબર છે. કૉંગ્રેસમાં વકીલોએ કંઈક કર્યું તે પણ માની શકાય. વકીલો પણ માણસ છે અને માણસજાતમાં કંઈક તો સારું રહેલું જ છે. ઘણાખરા દાખલા જે વકીલોની સારમાણસાઈના જોવામાં આવે છે તે, તેઓ વકીલ છે એ ભૂલી ગયેલા છે, ત્યારે બનેલા છે. મારે તો તમને એટલું જ બતાવવાનું છે કે તેઓનો ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે; તેમાંથી ઊગરનાર થોડા જ છે.

૯૩