૧૨હિંદુસ્તાનની દશા–(ચાલુ)
દાક્તર
वाचक :
વકીલનું તો સમજાય છે. તેઓએ સારું કર્યું છે તે માત્ર અનાયાસે, એમ પ્રતીતિ આવે છે. બાકી તેઓનો ધંધો જોતાં તો તે કનિષ્ઠ જ છે, પણ દાક્તરને પણ તમે તો સાથે ઘસડો છો. એ કેમ હશે?