આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નામે કુમારિકાઓ વેશ્યા બને છે, જે દેશમાં ધર્મને નામે પાડા-બકરાંઓનો વધ થાય છે તે દેશ પણ હિંદુસ્તાન છે. તો પણ તમે જે કહ્યું તે સુધારાનું લક્ષણ છે શું?

अधिपति :

તમે ભૂલ્યા છો. તમે જે ખામીઓ બતાવી તે ખામી છે. તેને કોઈ સુધારો નથી કહેતું. તે ખામીઓ સુધારા છતાં રહેલી છે. તે દૂર કરવા હંમેશાં પ્રયત્ન થયા છે ને થયા જ કરશે. આપણને જે નવો જુસ્સો આવ્યો છે તેને આપણે તે ખામીઓ દૂર કરવામાં વાપરી શકીએ છીએ.

મેં તમને જે આધુનિક સુધારાની નિશાની કહી તે તે સુધારાના હિમાયતી પોતે બતાવે છે. મેં જે હિંદનો સુધારો વર્ણવ્યો છે તે તેના હિમાયતી વર્ણવે છે.

કોઈ પણ દેશમાં કોઈ પણ સુધારા નીચે બધા માણસો સંપૂર્ણતા નથી પામ્યા. હિંદી સુધારાનું વલણ નીતિ દૃઢ કરવા

૧૧૪