આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહેશે કે ઠગવિદ્યા શેખવીએ જ જોઈએ. તો શું એક સાધુ હશે તે પણ ઠગ બનશે ? નહીં નહીં. અન્યાયી કાયદાને માન આપવું જોઈએ એ વહેમ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આપણી ગુલામી જનારી જ નથી. અને આવો વહેમ માત્ર સત્યાગ્રહી જ દૂર કરી શકે છે.

શરીરબળ કરવું, દારૂગોળો લગાવવો તે તો આપણા ઉપલા કાનૂનને ખલેલ પહોંચાડે છે. તેનો અર્થ તો એમ થયો કે આપણને પસંદ છે તે સામા માણસ પાસે આપણે કરાવવા માગી છીએ. જો એ બરોબર હોય તો પછી સામેનો માણસ પોતાનું કહેલું કરાવવા આપણી ઉપર દારૂગોળો ચલાવવા અધિકારી છે. આમ કરતાં કોઈ દહાડો આપણે બંદરે પહોંચીએ જ નહીં. ઘાંચીના બાદની માફક આંખે પાટ હોવાથી માની લઈએ કે આગળ વધીએ છીએ, તો ભલે. પણ ખરું જોતાં

૧૫૮