આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
કેળવણી
वाचक :
તમે આટલું બધું બોલ્યા તેમાં તમે ક્યાંયે કેળવણીની તો જરૂર જ ન બતાવી. આપણે કેળવણીની ખામીની હંમેશાં રાવ ખાઈએ છીએ. ફરજિયાત કેળવણી આપવાની હિલચાલ આખા હિંદુસ્તાનમાં જોઈએ છીએ. મહારાજા ગાયકવાડે ફરજિયાત કેળવણી દાખલ કરી છે. તેની તરફ બધાની આંખ દોરવાઈ છે. આપણે