આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે ઊંચી કેળવણી લો, પણ તેનો ઉપયોગ મુખ્ય વાતમાં નથી આવતો. તેથી આપણે માણસ નથી બનતા - તેથી આપણે આપણું કર્તવ્ય નથી જાણતા.

वाचक :

જ્યારે એમ જ છે ત્યારે તમને મારે સવાલ પૂછવો પડશે. તમે આ બધું બોલો છો તે શાના પ્રતાપ ? તમે અક્ષરજ્ઞાન અને ઊંચી કેળવણી ન લીધાં હોત તો તમે કેમ સમજાવી શકત ?

अधिपति :

તમે ઠીક સપાટો માર્યો છે, પણ મારો જવાબ તમને સીધો જ છે. જો મેં ઊંચી કે નીચી કેળવણી ન લીધી હોત તો કંઈ હું નિરુપયોગી થાત એમ માનતો નથી. હવે બોલીને ઉપયોગી થવાની ઇચ્છા રાખું છું. તેમ કરતાં જે ભણ્યો છું તેને કામે લગાડું છું, અને તેનો ઉપયોગ, જો તે ઉપયોગ હોય તો, હું મારા કરોડો ભાઈઓને

૧૭૬