આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपति :

આ સવાલ તમે બહુ મોડો પૂછ્યો. એ સવાલમાં હવે કંઈ જીવ રહ્યો નથી. રેલે જો આપણો નાશ કર્યો છે તો વળી ટ્રામ શું નથી કરતી ? સંચો એ તો રાફડૉ છે. તેમાં એક સર્પ ન હોય પણ સેંકડો, એકની પાછા બીજા, એમ લાગેલું જ છે. જ્યાં સંચા ત્યાં મોટાં શહેર. જ્યાં મોટાં શહેર ત્યાં ટ્રામગાડી ને રેલગાડી. ત્યાં જ વીજળીની બત્તીની જરૂર હોય. ઇંગ્લંડમાં પણ ગામડાંઓમાં વીજળીની બત્તી કે ટ્રામ નથી એ તમે જાણતા હશો. પામાણિક વૈદ અને દાક્તરો તમને કહી આપશે કે જ્યાં રેલગાડી, ટ્રામગાડી વગેરે સાધનો વધ્યાં છે ત્યાં લોકોની તંદુરસ્તી બગડેલી હોય છે. મને યાદ છે કે એક શહેરમાં જ્યારે પૈસાની તંગી આવી ત્યારે ટ્રામની, વકીલની તથા દાક્તરની આવક ઘટી ને લોકો તંદુરસ્ત થયા.

૧૯૪