આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपतिः

આ પ્રજાને હું કહીશ કે જે હિંદીને ખરી ખુમારી ચઢી હશે તે જ ઉપર પ્રમાણે અંગ્રેજને કહી શકશે ને તેઓના રુઆબમાં નહીં દબાય.

ખરી ખુમારી તો તેને જ ચઢે છે જે જ્ઞાનપૂર્વક માને કે, હિંદી સુધારો તે સર્વોપરી છે ને યુરોપી સુધારો તે ત્રણ દહાડાનો તમાશો છે. એવા સુધારા તો કંઈ થઈ ગયા ને રોળાયા; કંઈ થશે ને રોળાશે.

ખરી ખુમારી તેને જ રહેશે કે જે હિંદી અત્યારની દયામણી દશાથી બહુ જ અકળાયો હશે ને જેણે ઝેરનો પ્યાલો પહેલેથી જ પી લીધો હશે.

૨૦૭