આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(૧૮) બધા હિંદી સમજશે કે કોઈ પણ પ્રજા દુઃખ વેઠ્યા વિના ચઢી નથી. રણસંગ્રામમાં પણ કસોટી તે દુઃખ છે, બીજાને મારવા તે નથી. તેમ જ સત્યાગ્રહ વિશે છે.

(૧૯ )બધા હિંદી સમજશે કે 'બીજા કરે ત્યારે આપણે કરીશું' એ ન કરવાનું બહાનું છે. આપણને સારું લાગે છે વાસ્તે આપણે કરો, બીજાને ભાસશે ત્યારે તે કરશે; એ જ કરવાનો રસ્તો છે. મને સ્વાદિષ્ટ ભોજન જોવામાં આવે તે લેતાં હું બીજાંની રાહ નથી જોતો. ઉપર મુજબ પ્રયત્ન કરવો, દુઃખ ભોગવવું એ સ્વાદિષ્ટ ભોજન છે. અકળાઈને કરવું, દુઃખ ઉઠાવવું તે વેઠમાત્ર છે.

वाचकः

આમ સૌ ક્યારે કરે ને ક્યારે આરો આવે?

૨૧૨