આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨.
બંગાળાના ભાગલા
वाचकः
તમે કહો છો તે પ્રમાણે વિચારતાં કૉંગ્રેસથી સ્વરાજનો પાયો રોપાયો એ ઠીક જણાય છે. છતાં તે ખરી જાગૃતિ ન કહેવાય, એમ તો તમારે કબૂલ કરવું જોઇએ. ખરી જાગૃતિ ક્યારે ને કેમ થઈ?
अधिपतिः
હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીને નીચે કરે છે