આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨.
બંગાળાના ભાગલા


वाचकः

તમે કહો છો તે પ્રમાણે વિચારતાં કૉંગ્રેસથી સ્વરાજનો પાયો રોપાયો એ ઠીક જણાય છે. છતાં તે ખરી જાગૃતિ ન કહેવાય, એમ તો તમારે કબૂલ કરવું જોઇએ. ખરી જાગૃતિ ક્યારે ને કેમ થઈ?

अधिपतिः

હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીને નીચે કરે છે

૧૫