આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઇંગ્લંડમાં જ ચાળીસ લાખ રંક અબળાઓ પેટને અર્થે ગધ્ધામજૂરી કરે છે, અને હાલ તેને લીધે સફ્રૅજેટની હિલચાલ ચાલી રહી છે.

આ સુધારો એવો છે કે, જો આપણે ધીરજ રાખી બેસીશું તો સુધારાની હડફેટમાં આવેલા માણસો પોતે સળગાવેલા અગ્નિમાં બળી મરશે. પેગમ્બર મહમ્મદના શિક્ષણ પ્રમાણે આ શયતાની રાજ્ય ગણાય. હિંદુ ધર્મ આને હડહડતો કળિકાળ કહે છે. હું તમને આ સુધારાનો આબેહૂબ ચિતાર નથી આપી શકતો. મારી શક્તિ બહારની એ વાત છે. પણ તમે સમજશો કે આ સુધારાથી અંગ્રેજી પ્રજામાં સડો ઘર કરી ગયો છે. તે સુધારો નશાકારક અને નાશવંત છે. તેનાથી દૂર રહેવું ઘટે છે અને તેથી જ અંગ્રેજ પાર્લમેન્ટ ને બીજી પાર્લમેન્ટો નકામી થઈ પડી છે. તે પાર્લમેન્ટ તે પ્રજાની ગુલામીની નિશાની છે એ

૪૯