આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખચીત વાત છે. વાંચો વિચારો તો તમને પણ તેમ જ લાગશે. તેમાં અંગ્રેજનો વાંક તમે નહીં કાઢો. તેમની ઉપર તો દયા ખાવા જેવું છે. તેઓ બાહોશ માણસ છે, એટલે એ જાળમાંથી નીકળી આવશે એમ મારું માનવું છે. તેઓ સાહસિક છે ને મહેનતુ છે. તેઓના વિચાર મૂળે અનીતિભરેલા નથી, એટલે તેમને વિશે મારા મનમાં ઉત્તમ વિચાર જ છે, તેઓનું હાડ ખરાબ નથી. ને સુધારો એ તેઓને અસાધ્ય રોગ નથી, પણ હાલ તેઓ તે રોગમાં ઘેરાયા છે એ તો ભૂલવાનું જ નથી.


૫૦