આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘણા ધર્મના ને પ્રકારના માણસો સાથે આવે. તે બોજો માણસ જાત ઉપાડી શકે જ નહીં એટલે પછી અકળાય. આ વિચાર પ્રમાણે તમે સમજી લેશો કે રેલવે એ ખરેખરું તોફાની સાધન છે. માણસ રેલવેનો ઉપયોગ કરી ખુદાને ભુલેલ છે.

वाचक :

પણ હું તો હવે મારા ઉઠાવેલા સવાલનો જવાબ સાંભળવા અધીરો બની રહ્યો છું. મુસલમાન દાખલ થવાથી એક-પ્રજા રહી કે ગઈ?

अधिपति :

હિંદુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે તેથી કંઈ તે એક-પ્રજા મટનાર નથી. નવા માણસો દાખલ થાય તે પ્રજા ભંગ નથી કરી શકતા; તેઓ પ્રજામાં ભળી જાય છે. એમ થાય ત્યારે જ અમુક મુલક એક-પ્રજા ગણાય. તે મુલકમાં બીજા માણસોનો સમાસ કરવાનો ગુણ હોવો

૭૮