આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦]
શ્રી વિષ્ણુભાઈ, શ્રી મનસુખભાઈ, શ્રી ઉમાશંકર, શ્રી ગુલાબદાસ,
શ્રી અનંતરાય રાવળ, શ્રી મંજુભાઈ મઝમુદાર, શ્રી જયંતી દલાલ,
શ્રી નિરંજન ભગત, શ્રી સુરેશ જોશી તથા આપણે બીજા જાણીતા
વિવેચક પાસેથી આ ખૂબ જ લોકપ્રિય કલાપ્રકારનું સળંગ વિવેચન
જનતાના ઈર્મિજીવન અને કલ્પનાનાં ઉડ્ડયનોને ઘડવાની ટૂંકી વાર્તાની
પ્રતિભાનાં કારણો સમજાવવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે.
મુ. ભાઈસાહેબના સાહિત્યને ઘડતી તાત્વિક પ્રતિભા કઈ ? તેમના સાહિત્યનું સાચું સર્જનસામર્થ્ય શેમાં સમાયું છે?
ટૂંકી વાર્તાના સર્જક તરીકે તેમનું આ ઢબનું વિસ્તૃત અવલોકન થાય એટલી જ ઈચ્છા.
“હીરાની ચમક” એ શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ નથી. પરંતુ તેમના વાચકો તેમના બીજ વાર્તાસંગ્રહોની માફક આને પણ આવકારશે જ એવી આશા રાખું છું.
‘કૈલાસ’
વડોદરા, ૨૪-૧૦-૫૭
અક્ષયકુમાર ર. દેસાઈ