આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦]


શ્રી વિષ્ણુભાઈ, શ્રી મનસુખભાઈ, શ્રી ઉમાશંકર, શ્રી ગુલાબદાસ, શ્રી અનંતરાય રાવળ, શ્રી મંજુભાઈ મઝમુદાર, શ્રી જયંતી દલાલ, શ્રી નિરંજન ભગત, શ્રી સુરેશ જોશી તથા આપણે બીજા જાણીતા વિવેચક પાસેથી આ ખૂબ જ લોકપ્રિય કલાપ્રકારનું સળંગ વિવેચન જનતાના ઈર્મિજીવન અને કલ્પનાનાં ઉડ્ડયનોને ઘડવાની ટૂંકી વાર્તાની પ્રતિભાનાં કારણો સમજાવવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે.

મુ. ભાઈસાહેબના સાહિત્યને ઘડતી તાત્વિક પ્રતિભા કઈ ? તેમના સાહિત્યનું સાચું સર્જનસામર્થ્ય શેમાં સમાયું છે?

ટૂંકી વાર્તાના સર્જક તરીકે તેમનું આ ઢબનું વિસ્તૃત અવલોકન થાય એટલી જ ઈચ્છા.

“હીરાની ચમક” એ શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ નથી. પરંતુ તેમના વાચકો તેમના બીજ વાર્તાસંગ્રહોની માફક આને પણ આવકારશે જ એવી આશા રાખું છું.

‘કૈલાસ’

રમણલાલ વ. દેસાઈ રોડ,
વડોદરા, ૨૪-૧૦-૫૭

અક્ષયકુમાર ર. દેસાઈ