આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮]


અને કલ્પનાનાં કયાં સપ્તકો ઝણઝણશે તે સર્જકનાં વર્ગમૂલ્યો ઉપર આધાર રાખશે.

ટૂંકી વાર્તાના સ્વરૂપ-આકારમાં અનેકાનેક અખતરાઓ થયા જ કરે છે. ઘણી વાર આ અખતરાઓ આકાર પરત્વેના જ હોય છે, એટલું જ નહિ પણ “અખતરા તરફની પ્રીતિના કારણે અથવા આકાર સૌંદર્યના લોભમાં,” વાર્તાના અંતસ્તત્ત્વ સાથે સમન્વય ખોઈને, અંતસ્તત્ત્વને પુષ્ટિ આપવાને બદલે તેને લગભગ નિશ્રેષ્ઠ બનાવી દે છે. શ્રી વિશ્વનાથ ભટ્ટનું મંતવ્ય ધ્યાન રાખવા સરખું છે. “કોઈ પણ સાહિત્યકૃતિની અંતિમ મૂલવણીમાં એની આયોજનકલા, રચનાપદ્ધતિ કે નિરૂપણશૈલીને આપણે ગૌણ ગણવી જોઈએ. અને મુખ્ય વિચાર તો એ બધી પ્રણાલિકા વાટે જે જે તાત્ત્વિક પ્રતિભા અને સારું સર્જનસામર્થ્ય વ્યક્ત થઈ રહેલ હોય તેનો જ કરવો જોઈએ.”

આપણા નવલિકાકારોમાં વિશિષ્ટ તાત્ત્વિક પ્રતિભા કઈ અને કેટલી ? સાચું સર્જનસામર્થ્ય કેટલું? માત્ર વસ્તુસંકલનાની અટપટી પટાબાજીથી પર જઈ સાચું પ્રતિભાવાન સાહિત્ય કોનું ? વિવિધ નવલિકાકારોની પ્રતિભા એકબીજાથી ભિન્ન ક્યાં હોય છે? આ સર્વ પ્રશ્નો વધુ પદ્ધતિસર ચર્ચાય અને તેમને સામાજિક પરિબળો સાથે સાંકળી તુલનાત્મક અભ્યાસ થાય એ બહુ જ આવશ્યક છે.

ગુજરાતમાં ટૂંકી વાર્તાનો વિકાસ અને તેના ઐતિહાસિક તબક્કાઓ કડીબદ્ધ નિદર્શન માગે છે. રામચન્દ્ર શુક્લનો “નવલિકા સંગ્રહ” માંનો અગ્રલેખ, અને શ્રી ગુલાબદાસ બ્રોકરની “શ્રેષ્ઠ નવલિકા” સંગ્રહની પ્રસ્તાવના તેમ જ બીજા લેખકોનાં આવાં વિવરાણો આ દિશામાં સ્તુત્ય પ્રયત્ન છે.

ગુજરાતી ટૂંકી વાર્તાને કલાસ્વરૂપે ખીલવનારા સર્જકોની ખૂબીઓ અને ખામીઓ અને તેમના પરસ્પર પ્રત્યાઘાતો યોગ્ય પ્રકાશ