આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩

યોહાન


मृत्यु

આ વખતે પહેલા પ્રકરણમાં રાજા હૅરોદના પુત્ર બીજો હૅરોદ ગાદી પર હતો. તેણે પોતાના ભાઈની વિધવા સાથે લગ્ન કર્યું હતું. યહૂદીઓમાં ભાભી સાથે પુનર્વિવાહ કરવાનો નિષેધ છે. એક વાર રાજાએ યોહાનને આમંત્રણ આપી, આ બાબતમાં તેનો અભિપ્રાય પૂછ્યો. તેણે તે કામને વખોડી કાઢ્યું. આથી ગુસ્સે થઈ તેની રાણીએ યોહાનને બંદીખાનામાં નંખાવ્યો. ઘણો વખત સુધી તે કેદમાં જ સડ્યો. પછી એક વાર હૅરોદના જન્મ દિવસે હૅરોદની દીકરીએ પોતાના નૃત્યથી બાપને ખુશ કર્યો. તેણે ઇનામ માગવા કહ્યું. માની શિખવણીથી તેણે યોહાનના માથાનું ઇનામ માગ્યું. વચનબદ્ધ (!) થયેલા રાજાએ યોહાનનો શિરચ્છેદ કરાવ્યો. આમ, આ સત્પુરુષનો ક્રૂર્ અંત આવ્યો.