આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦

ઈશુ ખ્રિસ્ત

પછી 'કહેવડાવનારો' શબ્દ ઉમેરવા કહ્યું. પણ સૂબાએ કહ્યું કે 'લખાયું તે લખાયું'*


क्रूसारोहण

ઈશુ મારાઓની સાથે લાકડાનો એક મોટો ક્રૂસ ઉપાડીને વધભૂમિ તરફ ચાલ્યો. લોકોનું ટોળું એની મશ્કરી કરતું, મારતું, અપમાન કરતું, એના ઉપર થૂંકતું પાછળ ગયું. બે હાથ અને પગ ઉપર લાંબા ખીલા ઠોકવામાં આવ્યા અને ક્રૂસ પર ઊભો કરવામાં આવ્યો. એનાં કપડાં મારાઓને ઇનામમાં મળ્યાં. તે જ દિવસે બે ચોરોને પણ એ જ શિક્ષા થઈ હતી. એ બન્નેના ક્રૂસ એની બે બાજુએ ઊભા થયા.

એના ક્રૂસ પાસે કોણ ઊભું હતું? એની મા, માશી અને બીજી બે સ્ત્રીઓ, તથા બાર પૈકી એકજ શિષ્ય નાનો યોહાન એના સ્મશાનના મિત્રો થયા હતા. પ્રાણ જતાં પહેલાં ઈશુએ યોહાનને એની માતાની સંભાળ લેવા ભલામણ કરી.

કેટલાક કલાક સુધી તીવ્ર વેદના ભોગવી, 'મારા પ્રભુ, મારા પ્રભુ, તેં મને કાં છોડી દીધો' એવી એણે એક વાર ચીસ પાડી. એનું ગળું સુકાતું હતું. સ્ત્રીઓએ ઊંચે ચડી એના ગળામાં દ્રાક્ષાસવ રેડ્યો. ત્યાર પછી વળી 'મારો આત્મા તને સોંપું છું' એમ એક વાર પોકાર કરી તેણે પોતાના પ્રાણ છોડી દીધા.


* આવું પાટિયું લખવામાં સૂબાનો ઉદ્દેશ પોતાનો રાજ્યપદ દર્શાવી યહૂદીઓનું અપમાન કરવાનો જણાય છે. 'કહેવડાવનારો' શબ્દ ઉમેર્યો હોત તો યહૂદીઓને અપમાન ન લાગત. પણ સૂબાને તો જણાવવું હતું કે, 'હું તો તમારા ખરા રાજાના પણ આવા હાલ કરી શકું; મને કાંઈ તમારી પરવા નથી.'