આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨

ઈશુ ખ્રિસ્ત

૭. અભિમાની મહેમાનો

એક શેઠે[૧] જમણ કર્યું, અને તેમાં ઘણા લોકોને નોતર્યાં. અને પછી જમવાનો વખત થયો ત્યારે તેડાં મોકલ્યાં.

પણ તે લોકોએ[૨] સંપ કરી બહાનાં કાઢ્યાં. એકે કહ્યું, 'મારે આજે મારી જમીન પર ગયા વિના ચાલે એમ નથી, માટે મને માફ કરો.' બીજાએ કહ્યું, 'મેં નવા બળદ લીધા છે. તેને પલોટવાના છે; માટે મને માફ કરો.' ત્રીજાએ કહ્યું, 'મારે આજે આણું કરવા જવું છે, માટે મને માફ કરો.

પછી નોકરોએ [૩]આવી શેઠને આ બધું સંભળાવ્યું. ત્યારે શેઠને ગુસ્સો આવ્યો, અને નોકરને હુકમ કર્યો કે, 'તું ઝટ જઈ રસ્તે રસ્તે અને ગલીએ ગલીએ ફરી વળ; અને જેટલા ગરીબ, લૂલા, લંગડા, આંધળા માણસો [૪]જુએ તે સૌને તેડી લાવ.'

પછી નોકર તેમ કરી શેઠની પાસે હાજર થયો, અને કહ્યું કે, 'હજુ ઘણાને માટે અવકાશ છે.' ત્યારે શેઠે વળી કહ્યું 'હવે તું ગામની બહાર રસ્તઓ પર અને વગડાઓમાં જઈ ત્યાં જે મળે તેમને તેડી લાવ, અને મારું ઘર ભરી દે. મારે હવે નોતરેલામાંથી એકેનેય મારી રસોઈ ચખાડાવી નથી.'

૭. ગફલતી નોકરો

એક શેઠ હતો. તેને પોતના નોકરોને હુકમ કર્યો હતો કે, 'હું આવું ત્યારે બધું કામ બરાબર હોવું જોઈએ, અને જેણે બરાબર કર્યું હશે તેને હું મોટો હોદ્દો આપીશ.'

પછી કેટલાક નોકરો તો, શેઠ કોઈ પણ ઘડીએ આવી


  1. ભગવાન
  2. દુનિયાદારી માણસો
  3. સંતો
  4. દીન અને દુ:ખી