પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮
જયા-જયન્ત
 


એમ હું હવિ થઈ બળીશ,
ત્‍હો યે કર્યા ન ક્યાં નહીં થાય.
ચૂક્યો રાણી ! હું ચૂક્યો
મ્હારો રાજધર્મ, મ્હારો પિતૃધર્મ.

રાજરાણી: ત્‍હમે જ બોધતા હતા ને

કે કાશી તો છે વિસામો
દુનિયાનાં દાઝેલાંઓનો ?
આપણને જ નહીં મળે એ
અન્તરના આરામ અહીં ?

ગિરિરાજ: રાણીજી ! રથનાભીમાં આરાઓ,

એમ એકઠા થાય છે અંહી,
મુક્તિપુરીના ધર્મચોકમાં,
સહુ નગરીઓના રાજમાર્ગ.
જેવાં નદીઓનાં સહુ પાણી
સાગરમાં સમાધિ પામે છે-

રાજરાણી: રાજવી ! એવું કહેતા હતા ને

કે ધવલગિરિમાંથી અનેક ગંગાઓ,
એમ તીર્થરાજમાંથી યે ધર્મગંગાઓ
દશે દિશાઓમાં વહે છે,
જગત સકલને પાવન કરે છે.

ગિરિરાજ: આર્યાવર્ત એટલે વારાણસી,

ને વારાણસી એટલે ધર્મનગરી,