આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭
જયા-જયન્ત
જયન્ત : ને જો ! ગંગાને સ્હામે તીરે
- પેલાં બ્રહ્મવનનાં ઝુંડ.
- સુન્દરીઓમાં સાધુતા જન્માવ,
- રસીલીઓમાં પુણ્યાચાર પાંગરાવ;
- પતિઓની કામઠી મથું છું ઘડવા;
- તું વીણાઓ ઘડ પત્નીઓની.
- આપણે ન ગાયા તે
- ગવરાવો એમ સંસારનાં બ્રહ્મસંગીત.
જયા : પાપની લાલચોથી ન લોભાય,
- મોહ ને સ્નેહના ભેદ પાળે,
- કામ ને રસાનન્દને ભિન્ન પરમાણે,
- તો માનવદેશની સર્વ સુન્દરીઓ
- બ્રહ્મચારિણીઓ જ છે અખંડવ્રતિની.
જયન્ત : આપ એમને અમૃતલક્ષ્મી,
- કે આત્માનું મૃત્યુ આવે જ નહીં.
જયા : પણ જયન્ત ! પાસે પાસે નથી
- હરિકુંજ અને બ્રહ્મવન ?
- આપણે યે આત્માના ભરોંસા કેટલાક ?
જયન્ત : આત્મશ્રદ્ધા ઉજ્જવળ રહે
- ત્ય્હાં સૂધીના જ આ આશ્રમ.
- અન્ધકારનો ઓળો ઉંગે કે તરત
- તું સંચરજે દેવધામ હિમાદ્રિમાં,