પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૩
જયા-જયન્ત
 


પાળો છો, ઉછેરો છો, લડાવો છો,
તો તે જ પુત્રભાવના
પુત્રમૂર્તિ રૂપે પ્રગટે જ.

કાશીરાજ : બ્રહ્મર્ષિનાં આશીર્વચન

અવતર્યા મ્હારે મહેલે.

મન્ત્રીશ્વર : રાજાપ્રજા ઉભયના પુણ્યસંચયે,

ને બ્રહ્મર્ષિનાં બ્રહ્મવચને તો
પ્રભુ પોતે પધારે પૃથ્વીમાં.
છત્રચામરધારી રાજમહીષિ બાલકુમારને તેડી નગરની સન્નરીઓના પરિવાર સાથે પધારે છે.

વેદશાસ્ત્રી : અખંડ સૌભાગ્ય, રાજમહીષિ !

પુણ્યાયુષી થાવ રાજકુમાર.
વેદશાસ્ત્રી અક્ષતકુંકુમ આપે છે, રાજસભા નમન નમે છે.

કાશીરાજ : ઉઠીને સત્કારતાં

પધારો, દેવિ !
ભાગ્યોદયની ઉષા છો.
સહુનાં નમન સત્કારતી ને વાળતી રાજમહીષિ સિંહાસને જઇ વિરાજે છે.
દર્શન કરાવો પ્રજાજનને
રાજકુટુંબના બાલસૂર્યનું.

મહીષિ : કરો, કરો, મુક્તિપુરીનાં મહાજન !

પુત્રમાં પિતાનાં દર્શન.
આ ત્‍હમારા બાલ મહારાજ.