આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૮
જયા-જયન્ત
એક સન્નારી : અમૃત ઉતર્યાં દેવોનાં;
- અમરાવતી વર્ષી અવની ઉપર.
કાશીરાજ : બ્રહ્મર્ષિ ! નથી ધરાયો હજી દાન દઇ.
- પ્રજાના પોકાર સુણું છું
- વાયુની લહરી લહરીમાંથીઃ
- કિરણ કિરણ આવી કહે છે
- પ્રજાજનની દુઃખકથનીઓ.
બ્રહ્મર્ષિ : પ્રજાની સુખશાતા યે સુણાવશે તે.
- દાન દેતાં તૃપ્તિ ન વળે
- તે ભાગોદયનાં ચિહ્ન.
- રાજેન્દ્ર ! ગિરિબાલિકા પધાર્યાં છે -
કાશીરાજ : જગતની પરમ પવિત્રતા
- શું શોભાવે છે કાશીપુરીને ?
બ્રહ્મર્ષિ : આવ્યાં છે આશ્રમ માંડવા
- બ્રહ્મચારિણીઓના બ્રહ્મવનમાં.
- જ્યોત્સનાવસ્ત્રધારી ભગવતીનાં
- ત્હમે દર્શન લીધાં હતાં તે દિવસે -
કાશીરાજ : એ જ એ પ્રભારંગી પુણ્યમૂર્તિ ?
- બ્રહ્મવન બ્રહ્મચારિણીઓનું હો !
બ્રહ્મર્ષિ : ભાગીરથીને કાંઠે બ્રહ્મચર્ય જ શોભે.
- કલ્યાણ થાવ, રાજેન્દ્ર !
- ત્હારી કુટુંબવેલનું