પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૮
જયા-જયન્ત
 


એક સન્નારી : અમૃત ઉતર્યાં દેવોનાં;

અમરાવતી વર્ષી અવની ઉપર.

કાશીરાજ : બ્રહ્મર્ષિ ! નથી ધરાયો હજી દાન દઇ.

પ્રજાના પોકાર સુણું છું
વાયુની લહરી લહરીમાંથીઃ
કિરણ કિરણ આવી કહે છે
પ્રજાજનની દુઃખકથનીઓ.

બ્રહ્મર્ષિ : પ્રજાની સુખશાતા યે સુણાવશે તે.

દાન દેતાં તૃપ્તિ ન વળે
તે ભાગોદયનાં ચિહ્ન.
રાજેન્દ્ર ! ગિરિબાલિકા પધાર્યાં છે -

કાશીરાજ : જગતની પરમ પવિત્રતા

શું શોભાવે છે કાશીપુરીને ?

બ્રહ્મર્ષિ : આવ્યાં છે આશ્રમ માંડવા

બ્રહ્મચારિણીઓના બ્રહ્મવનમાં.
જ્યોત્સનાવસ્ત્રધારી ભગવતીનાં
ત્‍હમે દર્શન લીધાં હતાં તે દિવસે -

કાશીરાજ : એ જ એ પ્રભારંગી પુણ્યમૂર્તિ ?

બ્રહ્મવન બ્રહ્મચારિણીઓનું હો !

બ્રહ્મર્ષિ : ભાગીરથીને કાંઠે બ્રહ્મચર્ય જ શોભે.

કલ્યાણ થાવ, રાજેન્દ્ર !
ત્‍હારી કુટુંબવેલનું