આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
જયા-જયન્ત
- પરણશે રાજકુમારિકાઓ
- રાજવીને નહીં, પણ રાજસિંહાસનને;
- ત્હેમને કાજે રાખ એ મુગટ.
જયન્ત : ત્ય્હારે શી સ્વીકારશો કુમારિ ! લગ્નભેટ ?
- ગયા આવશે હમણાં વનમાંથી,
- કે દેવાશે કન્યાદાન.
જયા : તીર્થરાજ મ્હારા વીર છે, જયન્ત !
- ધર્મછત્રધારી મ્હારા ધર્મપિતા છે.
જયન્ત : શું ? જયા નહીં પરણે તીર્થરાજને
જયા : ના, જયન્તકુમાર ! ના.
- દેવગિરિની દેવબાલા
- તળેટીમાં નહીં પડે દેવશિખરેથી.
જયન્ત : જાહ્નવી ગઈ, જયા !
- ને તાર્યા સાગરપુત્રોને.
- પોતા કાજે નહીં, પણ પર કાજે
- તું યે ઉતર, ને તાર.
- વારાણસીની રાજરાણી તો છે
- આર્યાવર્તની ધર્મમાતા.
- જયા ! જા, ને થા બ્રહ્મમાતા
- આર્યોના જગદુદ્ધારક મહાકુટુંબની.