પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
જયા-જયન્ત
 



પ્રવેશ પહેલો

સ્થલકાલઃ વામીઓના મન્દિરમાં ઉત્સવ
——:——
દેવી સિંહાસને વિરાજ્યાં છે. પાછળ દેવાંગનાઓનો પરિવાર ઉભો છે. એક પછી એક ઉપાસક આવે છે.

દેવી : પધારો, પંડિતરાજ !

ખોટાને પણ સાચું કરવું
તે પાંડિત્યનું પરમ ભૂષણ.

પંડિતરાજ: સાચું તો સાચું છે જ;

એમાં સિદ્ધ શું છે કરવાનું ?
સાચું સિદ્ધ કરવા શાસ્ત્રો નથી;
એમાં તો પુનરુક્તિ દોષ આવે.