પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
જયા-જયન્ત
 


સુરા તો છે કામયજ્ઞનું અમૃત.
આવો, પીઓ, ને અમ્મર થાવ.

જયા : દાસી ! પાપના અન્ધકાર છાંડ,

જા પુણ્યના પરમ સંસારમાં.
કામ ત્યાગી પ્રેમ પારખ.
લગ્નના લ્હાવા લે,
પત્ની થઇ પુનરુદ્ધાર પામ.

દેવી : કિયા સંસારમાં છે, ઓ કુમારી !

કામ વિનાનો પ્રેમ ?
અમારા યે લગ્ન છે, તમ જેવાં;
ત્‍હમારાં જીવન જીવનનાં,
અમારાં દિવસ દિવસનાં
મૂકી, વટાવી, કૂદી ગઇ
પત્નીધર્મનાં ખાબોચિયાંની પાળો.
ઝીલું છું મહાજલમાં હવે.
હું સહુની પત્ની,
ને સહુ મ્હારા પતિ.
સૌન્દર્ય ને યૌવનનો આ અમ નન્દન.
વસો એ અલબેલાં અમરોમાં,
ને શીખો માણતાં અપ્સરાજીવન.