પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫
જયા-જયન્ત
 


નિત્યમુહૂર્તના તે પુણ્યોજ્જવળ દિવસે
અવનીના ઉપર ગૂંથાશે
બ્રહ્મજ્યોતમાં ક્ષત્રિયજ્યોત,
ને જન્મશે ઉદ્ધાર આર્યાવર્તના.
ત્‍હમારૂં બ્રાહ્મ સૌન્દર્ય -

શેવતી : ને ત્‍હમારૂં ક્ષાત્ર વીરત્વ -

કાશીરાજ : પ્રેમબાલે ! પૃત્વીને પ્રકાશશે

ઉભય એક થઇને.

શેવતી : પ્રારબ્ધ ઉઘડશે ત્ય્હારે પૃથ્વીવાસીઓનાં.

કાશીરાજ : બજાવો, ઓ સ્નેહવંશી !

એ પરમ સૌભાગ્યની બંસી.
જગતની ઝાડીઓ સૂની છે
એ ટહુકાર વિના.

શેવતી : શીખી લીધો છે છેડતાં

એ અજબ માધુર્યનો બોલ.
પણ એક-એકલી જ હું?
આંબાની એક ડાળે છે બે કોયલ,
તો બે ય કોયલ સાથે ટહુકે.
બોલાવો ત્‍હમારી યે કોકિલા, રાજેન્દ્ર !

કાશીરાજ : લ્યો આ મુજ આત્માનો બોલ.

તલ્લીન થઈ બન્ને સાથે ઘડીક વેણુ વાય છે.