આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સહધર્મચારિણી વિજયાબહેન

ગદ્યશૈલીની સિદ્ધિ જુએ છે જયભિખુની ગદ્યશૈલી પાત્રના સ્વભાવની કોમળતા, કઠોરતા, સંવેદનની તીવ્રતા, વિચારની ભવ્યતા કે મિજાજની ખુમારીને સુપેરે પ્રગટાવે છે. શિષ્ટતા, વેગ, ઉત્કટતા, ગાંભીર્ય અને ચિત્રાત્મકતા એ એમની શૈલીના ગુણો છે.

અભ્યાસના અંતે જીવનમાં લીધેલા નિર્ણયો પછી ગૃહસ્થધર્મ પ્રતિ વળ્યા. ઈ. સ. ૧૯૩૦ના મે માસમાં જયભિખ્ખુએ વિજયાબહેન સાથે સાથે લગ્ન કર્યા. વિજયાબહેન આજીવન બાલાભાઈની છાયા બની રહ્યાં. સંસ્કારસંપન્ન એ સન્નારીની આતિથ્યભાવના તો એમની જીવનમૂડી હતી. હસિત બુચે યોગ્ય લખ્યું છે : 'બાલાભાઈના ઘરની એ સાચી જ્યોતિ મૂંગા મુંગા સ્મિતથી સત્કારે ને આવનાર માત્રને આતિથ્યની મીઠાશથી ન્હવરાવે. બાલાભાઈ જે કંઈ લખી શકે છે, આવું વ્યાપક મિત્રમંડળ ધરાવે છે એમાં જયાબહેનનાં સૌજન્ય-સેવાનો ફાળો તરત વર્તાય છે.' વળી પ્રત્યેક કાર્યમાં એમની પ્રેરણા બાલાભાઈને પ્રોત્સાહિત કરતી. એમના નામમાંનો 'જય' બાલાભાઈની ઓળખ બન્યો. એ જયભિખ્ખુ બન્યા અને કલમના આધારે એમની જીવનગતિ આરંભાઈ.

ઈ. સ. ૧૯૩૩માં અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે એમનું રહેઠાણ હતું પટેલનો માઢ, માદલપુરમાં. લેખનને તો આજીવિકાનો માર્ગ બનાવ્યો જ હતો. પણ થોડા સમયમાં જ જીવન કપરું બની રહ્યું. છતાંય નોકરી ન કરવાના નિર્ણયમાંથી ચલિત ન થયા. અલબત્ત, શારદા મુદ્રણાલય એમની


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૧૪