આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાલિદાસની રામગિરિ ટેકરી પર તા. ૩૧-૧૨-૧૯પ૯ના રોજ એક પ્રવાસ : પીતાંબર પટેલ, પન્નાલાલ પટેલ, ચુનીલાલ વ. શાહ, સારંગ બારોટ, બકુલ ત્રિપાઠી વગેરે મિત્રો સાથે


દૃષ્ટિ, મુદ્રણકળાની સમજ, મુખપૃષ્ઠના લે-આઉટ સાથે વિષયને અનુરૂપ કળાત્મકતા ભળે જ. બધું જ રૂપકડું બને તે માટે મથતા. સુંદરતા-સુઘડતાના આગ્રહી હતા. વળી વિશેષાંકમાં પ્રતિષ્ઠિત લેખકોની કૃતિ તો જયભિખ્ખુ મેળવે જ. તો નવોદિત લેખકોને પ્રોત્સાહિત પણ કરે જ.

સતત વાંચન-લેખનથી એમની આંખો નબળી પડી હતી, પરંતુ સ્થૂળ ચક્ષુઓ જ . એમની ભીતરની દૃષ્ટિ તો સતેજ હતી. મધુસૂદન પારેખે લખ્યું છે: 'એમની આંખો ખૂબ નબળી. આંખો ખેંચી ખેંચીને ચોપડીઓ છેક પાસે રાખીને વાંચે અને નિયમિત લેખનકાર્ય કરે. એમની આંખો ભલે નબળી છે પણ એમની દૃષ્ટિ વિશાળ છે. એમની કેટલીક કૃતિઓમાં એમની જીવનદૃષ્ટિનો પરિચય થશે.' પ્રા. નટુભાઈ રાજપરાએ સુચક રીતે કહ્યું છે: 'એમની આંખો કંઈક નબળી છે, પણ માણસને પારખવામાં એમની આંખે ભાગ્યે જ ભૂલ કરી હશે.'

જયંતકુમાર પાઠકના કહેવાથી એમણે 'સંદેશ'માં 'ગુલાબ અને કંટક' નામની કૉલમ શરૂ કરી હતી. પાછળ એ નામે પુસ્તક પણ કર્યું હતું. 'કિસ્મત' સામયિકના પ્રારંભથી એમાં લખતા હતા. લોકપ્રિય લખાણોથી એ પ્રસિદ્ધિ


૧૮
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ