આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી કૃષ્ણલાલ મો. ઝવેરીના હસ્તે સુવર્ણચંદ્રક

પહેલી નવલકથા 'ભાગ્યવિધાતા' ઈ. સ. ૧૯૩૫માં પ્રસિદ્ધ થઈ હતી. એમણે ઇતિહાસકથા, પુરાણકથા, ધર્મકથાનો આધાર લઈને નવલકથાઓનું સર્જન કર્યું હતું. ‘ભાગ્યવિધાતા'ના સંદર્ભે જયભિખ્ખુએ પ્રસ્તાવનામાં લખ્યું છે : 'સંધ્યાની શીળી હવામાં ફરવા નીકળેલ મોટી ફાંદવાળા શેઠજીને માથે અચાનક મેઘમાળની ઝડીઓ વરસે, ને જે ઢબથી ને જે ઝડપથી આ કથા લખી છે, પાછું વાળીને જોવાની ઘડી જ મળી નથી.' અલબત્ત એમણે ‘ઇતિહાસની શૃંખલાને તોડી નથી.'.

ઈ. સ. ૧૯૪૦માં લખાયેલી 'કામવિજેતા' નવલકથાની ઘટનાઓનો આધાર આંશિક ઐતિહાસિક – આંશિક પ્રાગૈતિહાસિક હોવા સાથે એમાં માત્ર જૈન ધર્મના ગ્રંથો નહીં પરંતુ જૈનેતર ગ્રંથોનો આધાર લીધેલો છે. જોકે એનું 'એક પણ પાત્ર લેખકનું પોતાનું કલ્પના સંતાન નથી.' સ્થૂલિભદ્રના દુનિયામાં દંભી બનીને જીવવા કરતાં ઉઘાડા જો ગણિકાગામી હોઈએ, તો તેનો સ્વીકાર કરીને ગણિકાગામી થઈને જીવવું એમાં જ મને મારો ધર્મ લાગ્યો છે.' કથનમાં જયભિખ્ખુના ક્રાંતિકારી માનસ સાથે દંભ પ્રત્યેનો એમનો અણગમો વ્યક્ત


૨૧
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ