આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુંબઈમાં અધ્યાત્મિક જ્ઞાન પ્રસારક મંડળ તરફથી ‘ચક્રવર્તી ભરતદેવ' પુસ્તક માટે સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે યોજાયેલ ભોજન સમારંભમાં રામનારાયણ વિ. પાઠક, હીરાબહેન પાઠક, જ્યોતીન્દ્ર દવે, પાદરા, કનુ દેસાઈ, પરમાનંદ કાપડિયા વગેરે

થયો છે. કદાચ અદંભીપણું એ જ જયભિખ્ખુનું વ્યક્તિત્વ હતું. એ જ એમના જીવનને ઉજમાળી ગયું. 'કામવિજેતા'માં નારીનું ગૌરવ પણ કર્યું છે. એ પણ એમની જીવન-વિભાવનાનો અંશ જ છે. પ્રો. રવિશંકર જોશીને એમાં ‘વસ્તુની નૂતન દિશા' દેખાઈ હતી. એમાં વ્યક્ત થયેલ જીવનસંદેશ જયભિખ્ખુનો ઉદ્દેશ હતો. 'ભગવાન ઋષભદેવ' નવલકથા વર્ણનાત્મક છે અને એમાં જયભિખ્ખુએ ઋષભદેવનું ચરિત્ર ઉજાગર કર્યું છે. જયભિખ્ખુ આ નવલકથાની પ્રસ્તાવનામાં નોંધે છે કે 'આ ચરિત્ર લખતી વખતે મેં શ્વેતાંબરી, દિગંબરી ને વૈદિક અનેક કૃતિઓનો આશરો લીધો છે, છતાં હાર બનાવનાર માની જેમ એક અખંડ હીરદોર પર ભાતભાતનાં ફૂલોની ગૂંથણી કરી હારનું નિર્માણ કરે, તેમ મેં કર્યું છે.' આટલી વાત કર્યા પછી જયભિખ્ખુ આ નવલકથાના સર્જનસંદર્ભે એમની કેફિયત આપે છે તેમાં કથાસાહિત્યના સર્જકની મથામણ કેવી હોય તે છતું થયું છે ! એમનું આત્મકથન છે - 'મારા મનપ્રદેશમાં વર્ષોથી આસન જમાવી બેઠેલા દેવતાને, કાગળ ને શાહી જેવાં જડ સાધનોથી જન્મ આપતાં મારા ઉપર પણ ઘણું ઘણું વીત્યું છે ને ન જાણે મારા હાથે એ મહાન


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૨૨