આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ચોથું
રાજવી કવિનું ગૃહજીવન

લાપીનાં લગ્ન તો તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા તે જ સમયે, ઈ. સ. ૧૮૮૯ ના ડિસેમ્બરની પહેલી તારીખે થઈ ગયાં હતાં. એક જ સમયે બે જગ્યાએ ખાંડાં મોકલવામાં આવ્યાં હતાં, કારણ આ સમયે હાથેવાળે લગ્ન કરવા જવાની પ્રથા રાજાઓમાં અત્યારે છે તેટલા પ્રમાણમાં પણ પ્રચલિત ન હતી. એક ખાંડું કચ્છ રોહાનાં રાજકુમારી શ્રી. રાજબા માટે મોકલવામાં આવ્યું હતું અને બીજું કાઠિયાવાડના કોટડા સાંગાણીનાં રાજકુમારી શ્રી. આનંદીબા માટે. અને રાજકુમારીઓ લાઠીમાં આવ્યા પછી લગ્નની કેટલીક ક્રિયાઓ કરવામાં આવી હતી. આ લગ્નોત્સવ પ્રસંગે કવિ દલપતરામ અને સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત) લાઠી આવ્યા હતા. દલપતરામે આ પ્રસંગે ખાસ આશીર્વાદાત્મક કાવ્ય બનાવ્યું હતું, પણ મણિશંકર કલાપીના ખાસ પરિચયમાં આ સમયે આવ્યા ન હતા. તે તો શ્રી. મૂળચંદ આશારામના સહાધ્યાયી અને મિત્ર હોવાથી આશારામ ભાઈને ત્યાં જ ઉતર્યા હતા. પણ મૂળચંદભાઇએ આ બે કવિહૃદયની મુલાકાત કરાવી હતી, અને તેમની ભાવી મૈત્રી માટે, તેથી જ, તેઓ વાજબી રીતે આનંદની લાગણી અનુભવે છે.

આ પ્રસંગે બનેલા એક બનાવની શ્રી. મૂળચંદભાઈ ખાસ નોંધ લે છે.[૧] રજવાડામાં એવો રિવાજ છે કે જે બે રાણીઓનાં સાથે


  1. ૧. ઠાકોર શ્રીસુરસિંહજી: કેટલાંક સંસ્મરણો