આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વહે હૈયું મ્હારૂં : અધિક નદ કોઈ નવ વહ્યો;
અને આ દા'ડો તો ગતિ નિજ તજી સ્થિર જ થયો;
ઉડી જાણે જાશે મુજ રુધિર આ એક ભડકે,
ઉડું ? ના ઉડાતું ! ઝડપું ક્ષણ તે ? તે નવ બને !

૬-૧૨-૧૮૯૮

પ્રભુ-અનાલાપી ગાન

પ્રભુ શું તે આંહી જગત પર છે કોણ કથવા?
કહીં છે જે તેનું સમજી સ્ફુટ નામે દઈ શકે?
'મ્હને તેમાં શ્રદ્ધા,' સમજી નિજ એ બોલ વદવા
કહી ના જ્ઞાની એ કદિ પણ હશે હિમ્મત કરી ?

પરન્તુ પોતાના ઉર પર બલાત્કાર કરતો -
દબાવી મારીને કચરી નિજ અંત:કરણને -
કુહાડીથી હૈયું , રુધિર સઘળું પત્થર કરી -
હશે ક્યાં ક્હેનારો જગત પર, 'શ્રદ્ધા નહિ મ્હને'?

સદા ધાતા, દાતા, સહુમય અને એક જ સદા -
કહે - તે શું તુંને, મુજ ગરીબને ના ધરી રહ્યો?
કહે - તે શું તુંમાં મુજ ગરીબમાં ના રમી રહ્યો?
અને સૌનો તેવો નિજ પણ ન શું એ બની રહ્યો?

અહો! પેલું ભૂરૂં ગગન નથી શું ગોળ સરખું ?
ન શું હું ઉભો તે સહનશીલ અક્ષુબ્ધ ધરતી?
સ્મિતાળા તે કેવા ચકમક થતા આપણ પરે
નિશાની ક્રીડાના ચકર ફરવા રક્ષક રમે!

ન શું હું ત્હારાં આ નયનઅરવિન્દે નયનને
મિલાવી ઉભો રહું ને નહિ શું રસનો દોર વણતો?
ન શું મ્હારૂં હૈયું કબૂલ કરતું આ પ્રતિ પલે -
'મ્હને હું જેવામાં દર્શન થતું કો ગહનનું'?
 
અને દૃશ્યાદૃશ્ય પ્રતિ અણુ નિગૂઢાર્થ સઘળું,
બધું પાસે તુંમાં શ્રમરહિત કો કારણ સમું,


કલાપીનો કેકારવ/૫૦૧