આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
- એક પાત્રમાં ફદિયું મેલીને, મંદિરમાં અર્પણ કરો ને,
- તો તમને સંતોષ વળશે ને. "
- પછી રન્નાદેએ વ્રત કર્યું ને
- છ મહિના વ્રત, વાત સાંભળીને ખાવાનું ને.
- એમને તો એક દિવસ વાત સાંભળનાર મળે નહિ ને,
- વનમાં ગૌતમ ૠષિ બેઠા'તા ને,
- ૠષિના શાપે અહલ્યા શલ્યા હતાં ને,
- તે શલ્યા અગાડી ૠષિ બેઠેલા છે ને,
- ત્યાં આગળ રન્નાદે વાત કહેવા ગયાં ને,
- શલ્યા હતા તે અહલ્યા થઈ ગયાં ને.
- બીજે વને ગયાં ને,
- સીતારામ બેઠાં'તા ને
- ત્યાં આગળ સીતારામને વાત કરી ને,
- સીતામાતાએ વ્રત કર્યાં ને,
- વનવાસ છોડી અયોધ્યા ગયા ને;
- અયોધ્યાની ગાદીએ બેઠાં ને.
- દુઃખના માર્યાં તારામતી પાણી ભરતાં'તાં ને,
- હરિશ્ચંદ્ર રાજા પરઘેર મજૂરી કરતા'તા ને,
- હરિશ્ચંદ્ર રાજા, તારામતી અને રન્નાદે ત્રણે બેઠાં છે ને
- રન્નાદેએ વાત કહી ને,
- એમના દુઃખના દહાડા નિવારણ થઈ ગયા ને,
- સૂર્યનારાયણની સહાયતાએ,
- એમને એમનાં અમર રાજ મળ્યાં ને.
- રન્નાદે ઘેર આવ્યાં ને.
- સૂર્યનારાયણે અખેપાત્ર સામું જોયું ને ;
- એમને મનમાં વિચાર થયો ને ;
- રન્નાદેને નગર જમાડ્યાની વરતી છે ને,
- એની કૃપાદૃષ્ટિથી અખેપાત્રમાં અન્ન ઊભરાયાં ને,
- રિદ્ધિસિદ્ધિ બે બારણે થઈ રહી ને,
- સૂર્યનારાયણનાં કરેલાં વ્રત પરિપૂર્ણ થયાં ને,