આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


કર્મ પચ્ચીસી

દેશી : જિનજી અલંભડે મત ખીજો

દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિ હર નટવર સબળા;
કર્મ સંયોગે સુખ દુઃખ પામ્યા, સબળા હુઆ મહા નબળા રે, પ્રાણી!
પ્રાણી કર્મ સમો નહીં કોય,
કીધાં કર્મ વિના ભોગવીયાં, છુટકબારો ન હોય રે, એ ટેક૦