હું ગંભીર હેરે કહ્યું, ' મ્હને પણ ધન્ય છે કે મ્હેને એવી
સ્ત્રી મળી છે કે જેનું ચરણામૃત પીને લેાકા જીવન મેળવે છે.’
અહા, પાછી મશ્કરી કરવા માંડી કેમ? મ્હેં એવું કમ્હારે કહ્યું
કે મ્હારૂં ચરણામૃત પીને એણે જીંદગી બચાવી છે ?’ જીવન એટલે
હેના નૈતિક જીવનને ઉદ્દેશીને મે કહ્યું હતું. હમે હેને એ દિવસે
પેાલીસમાં સોંપ્યા હોત તે! એનું સત્યાનાશ વળી જાતને ?!
મ્હેં કહ્યું : નૈતિક જીવન ઉપરાંત હેતે ભાતિક જીવન પણ
હેજ આપ્યું છેતુ પાદેદિક ન આપત તા આટલા દિવસ એ જીવી
શકત નહિ,
મ્હારી સ્ત્રી આ વાત સાંભળી હસવા લાગી. હસવાના અર્થે
ખરેાબર ન સમજ્યાથી હું સૂઢ જેવા હેના હેરા તરફ્ જોઈ રહ્યા.
હાસ્ય બંધ થયા પછી મ્હેં પૂછ્યું, ‘ આટલું મધું હસે છે શા માટે?
હમે પણ એમ માનેા છે કે, શારદાચરણ હારે ચરણામૃત
પીને સાજો થયા હતા?
મ્હારે શું? હને પ્રણામ કરવાથી ?’
‘ના રે ના, એમ પણ નહિ. એમાં એક છૂપા ભેદ છે. '
અત્યંત ઉત્સુક થઈને મ્હે પૂછ્યું, એ શું? એ શું કહે છે? ?
- પહેલા ત્રણ દિવસ જ્હારે જોયું કે હૅની ખાંસી ઓછી થતી નથી ત્હારે જળને પગના સ્પર્શ કરવાને ખલે એ વખત એક હામિયાપેથિક દવાનાં ચેડાંક ટીપાં નાંખવા માંડયાં. એક પ્યાલામાં ઔષધ તૈયાર કરી રાખીને ટેબલ ઉપર કાગળ ઢાંકીને મૂકી રાખતી. શારદાચરણ આવતા ત્યારે કહેતી કેઃ— - ‘ એ રહ્યું લઈ જાઓ.’ ( સ્ત્રીની બુદ્ધિ જોઈને હું તે દિગજ થઈ ગયા. ’