આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
તંત્રી સાહેબનો ઘોંટાળો.


પરદેશમાં સ્વદેશપ્રીતિ ઘણી ખીલી નીકળે છે. જે ગૃહસ્થાને દેશમાં આપણે ઓળખતા પણ ન હોઇએ, તેજ ગૃહસ્થ પરદેશમાં મળી આવતાં, હૈની સાથે મિત્રતા કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ. લાવણ્યના પ્રસંગમાં પણ એવું બન્યું. એની પાસેનાજ અઁગલામાં કલ કત્તાથી હવા ખાવા આવેલું એક ખીજાં અંગાળા કુટુંબ વસતું હતું. એ કુટુંબમાં એક સન્નારી પણ હતી. હેનું નામ પુણ્યપ્રભા હતું. એ લાવણ્યના જેટલીજ ઉભરતી હતી, એટલે એ બન્ને જણાંનાં ધણાંજ ગાઢાં સહીપણાં જામ્યાં, હજી પણ લાવણ્યે હેની આગળ પેાતાનું ખરૂં નામ જણાવ્યું નહેાતું. પુણ્યપ્રભા હૈને પ્રભાવતી નામથીજ ઓળખતી. ૭૯ અન્નેના ખેંગલાની વચમાં એક મેદાન હતું. ત્હોં લીલું શ્વાસ છવાઈ રહ્યું હતું. એક દિવસ લાવણ્ય અને પુણ્યપ્રભા એ મેદાન ઉપર, સેાન નદીના કિનારે કરતાં કરતાં, વિવિધ વિષયેા ઉપર વાત કરતાં હતાં. એ વખતે દિવસ આથમી ગયેા હતા. સાંસારિક, રાજ- કીય, અનેક વિષયો ઉપર વાતચીત કર્યા પછી, સાહિત્ય સંબંધી વાત નીકળી. વર્તમાન સમયનાં માસિક પત્રાના ગુણુ દોષની ચર્ચા ચાલી. માસિક સાહિત્યનું અવલેધકન કરતી વખતે ગૃહિણી’ ના ઉલ્લેખ ન થાય એ તે। અસંભવિતજ હતું. ‘ ગૃહિણી’ ના ઉલ્લેખ કરતાં કરતાં હેના તંત્રીના વિષય પણ નીકળ્યા. જે ‘ ગૃહિણી ’ એક સમયે લાવણ્યના હાથેજ લાલનપાલન પામેલું પ્યારૂં પનોતું પત્ર હતું. હેના તંત્રી હૈના પરમ આરાધ્ય પતિદેવ હતા. હેના સંબંધમાં તટસ્થપણે વાત- ચીત કરતાં લાવણ્યના મનમાં શું શું થઇ જતું હશે, હૈતી વાંચકે કલ્પના કરી શકશે. પુણ્યપ્રભાએ આ સમયે લાવણ્યના મુખ, તરફ દૃષ્ટિ કરી હાત તા હૈને હૈના અંતઃકરણના ભાવ મુખમુદ્રા ઉપરથી સ્પષ્ટપણે વ્યક્ત થઈ જાત. પણ સદ્ભાગ્યે અધારું ગાડું થયું. હતું.