પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૫૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
કિસાગોતમી



રચેલા છે. એ ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણે છે:—

“સાધુ પુરુષની સાથે મિત્રતા કરવી એ હિતકારી છે. સાધુજનનો સંગ પ્રાપ્ત કરીને મૂઢ મનુષ્ય પણ પંડિત થઈ જાય છે. સાધુની સોબતથી પ્રજ્ઞા વધે છે અને પાપ તથા દુઃખ દૂર થાય છે. દુઃખનો હેતુ શું છે અને દુઃખનો તિરોભાવ કેવી રીતે થાય તેનું શિક્ષણ મેળવ. આર્યોનાં ચાર સત્ય અને અષ્ટાંગ ધર્મને પ્રાપ્ત કર.

“માનવોના સારથિ કહી ગયા છે કે, સ્ત્રીનું જીવન દુઃખમય છે. પત્ની–શોક્ય–નો સહવાસ, સુવાવડ એ બધાંને લીધે સ્ત્રીજીવન અતિશય દુઃખમય છે. એ દુઃખને લીધે કેટલીક સ્ત્રીઓ ગળે ફાંસો ખાઈને મરે છે. કોઈ વિષ ખાઈ લે છે. કોઈના ગર્ભમાંનું બાળક પણ માતાની સાથેજ મરણ પામે છે.”

ત્યાર પછી પોતાની આપવીતી–જીવનકથા સંક્ષેપમાં જણાવીને કહે છે કે, “કુલહીન, પતિહીન થયેલી મેં આખરે અમૃતત્વ પ્રાપ્ત કર્યું. આર્યોના આઠ અંગવાળા ધર્મનું ચિંત્વન કર્યાથી ધર્મના એ સ્વચ્છ આદર્શ વડે મેં આખરે નિર્વાણ પ્રાપ્ત કર્યું છે.

“હૃદય ઉપરથી દુઃખરૂપી પથ્થરનો ભાર હલકો પડી ગયો છે. મારી કરણી સફળ થઈ છે. મુક્તચિત્ત થઈને મેં કિસાગોતમીએ આજે આ ગાથા ગાઈ છે.”