પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૫ )

કડી ૪. વીથિ=ઊંડો, લાંબો, માર્ગ; લાંબું, ઊડું, દૃશ્ય.
જહિં—તહિં=જ્ય્હારે—ત્ય્હારે.

કડી ૫. પ્રિય=વ્હાલાં માણસો. તહિં=એ કાવ્યમાં, તારાના કાવ્યમાં.

કડી ૮, કાવ્યપદો=કાવ્યના શબ્દો. મર્મ=ભેદ, ઉદ્દેશ; મતલબ.

ચાંદનીથી ધોવાયેલું, તારાથી જડાયલું, ગગન જોઈને, તથા કોઈ વેળા મહાન્ અસંખ્ય વર્ષે આવતો, દિવ્ય ધૂમકેતુનો તેજ:પુઞ્ જ (પુંજ) જોઈને જે અનંતપણાના, મનુષ્યની ભૂત ભાવી વર્તમાન સ્થિતિના ગંભીર અને દિવ્ય વિચારોની સહસા પ્રેરણા થાય છે તે જ રીતે આ ગગને લખેલા દિવ્ય કાવ્યનું વાંચન છે. તારા, ધૂમકેતુ, ચાંદની,-એઓની હાવી ગંભીર સૂચનાઓ થાય છે, તે જ જગની ઉત્પત્તિની ઝાંખી થવી, લયકાળનું ગાન સંભળાવું, અનંતત્વની વીથિ ઊઘડવી, પરકાલના બોધ થવા ઈત્યાદિ છે. તેવી જ તારાને શબ્દ ગણી ગગનમાં કાવ્ય લખ્યું કલ્પ્યું છે.


અનુત્તર પશ્ન.—પૃષ્ઠ ૨૧.

પાછલા કાવ્યમાં ('દિવ્યકાવ્ય'માં) સૃષ્ટિના સુંદર તથા અદ્ભુત દેખાવોની મનુષ્યના આત્મા ઉપર શાન્તિપ્રદ અસર દેખાડી છે, ભાવિ સુદ્ધાં ગંભીર સૂચનાથી જણાતું દેખાડ્યું છે. આ કાવ્યમાં તેથી ઊલટું કાંઈંક બીજી દૃષ્ટિએ જોવાનું, તથા મનુષ્યના હ્રદયની જુદી દશાનું પરિણામ દેખાડ્યું છે. ઘોર તારક્તિ રજની, તેજોમયી ચંદા, ગમ્ભીર મેઘ, સુંદર સંધ્યા, મધુર ઉષા, ગગને ગયેલા ગિરિ, - વગેરે સર્વે તરફ ભાવિ જાણવાની ઇચ્છાથી મનુષ્ય પૃચ્છકભાવે ફરે છે, પરમ્તુ મનુષ્યના હ્રદયની જ અશ્રદ્ધાયુક્ત દશાને લીધે - એઓ તરફથી કાંઈં પણ ઉત્તર નથી જણાતો. ભાવિનું વિશેષ સ્વરૂપ તો અજ્ઞાત જ છે, તે અંશ તો સત્ય રીતે પણ આ કાવ્યના તાત્પર્યમાં છે.