પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૧૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૬ )

બેસતા વર્ષના પ્રસંગે અભિનંદન (મુબારકબાદી) આપતાં લખેલું.

કડી ૨. સુખવાડીમાં ફૂલ વીણતાં ફરતાં કદી કંટક હાથપગમાં વાગે-મતલબ કે-સંસારમાં સુખસંપાદન કરવાના માર્ગમાં કદી અડચણો, પીડાઓ, વગેરે આવી પડે.

તો-અસ્વસ્થ ન થતાં-વૈદ્યનો ઉપચાર કરજો; એટલે ધર્મબોધ કરે હેવા પુરુષ અથવા પુસ્તકનો આશ્રય લેજો કે જેથી વ્રણ (ઘા-કાંટાથી થયેલા)-સંસારમાંની પીડા, શમી જાય.

કડી ૪. હર્ષના ભેગો શોક થવાનું કારણ નીચે કડી ૫માં બતાવ્યું છે.

કડી ૫. તે ધર્મની મૂર્તિ-પિતા.

કડી ૬, ચરણ ૩. આ રચના- આ કાવ્યની રચના (પૂરી નથી કરી એટલામાં).

ચરણ ૪. ઘટના-ઈન્દ્રધનુષ્યની રચના (બધી લુપ્ત થઈ ગઈ). આ ઉપરથી જ જગતનાં સર્વ સુખની નશ્વરતા સૂચવાય છે. તો પછી (કડી ૭, ચરણ ૧) મનમાં શોક શું કામ ધરવો?

પ્રેમીજનનો મંડપ.—પૃષ્ઠ ૫૫.

મુંબાઈમાં વિક્ટોરિયા ગાર્ડન્સમાં એક મંડપમાં એકમેક સાથે ડળીઓ ગૂંથીને ઊગેલાં ઝાડ છે; હેને Lover's Bower એમ નામ આપ્યું હતું તે જોઇને આ કાવ્ય પ્રેરાયલું છે.


વસંતની એક સાંઝ.—પૃષ્ઠ ૫૭.

કડી ૨. પવન પોતાની પાંખ ઉપર કોઈ પણ ન સાંભળે હેવું ઝીણું ગાન વહીને મ્હારા અંતરમાં ભરે છે. આ સમયે હૃદયમાં અલૌકિક શાંત આનંદલ્હેર પવન સીંચે છે. તેજ આ ગાન; એ સુખ તે જ ગાન.