ર્વની પેઠે હમારામાં જાગૃતિ આણી છે; રાતી ગાયોએ દીપ્તિવાળો પ્રકાશ ધારણ કર્યો છે.'
पशून्न चित्रा सुभगा प्रथाना सिन्धुर्न क्षोद उविंया व्यश्वैत ।
(ઋગ્વેદ સંહિતા ૧-૯૨-૧૨)
અર્થઃ— જુદી જુદી દિશામાં પશુઓને હાકતી ના હોય, અથવા કોઈ સિન્ધુ (નદી) પોતાના ઓધ વહી જતી ના હોય, - તેમ એ તેજસ્વી સુભગ દેવતા (ઉષા)એ પોતાનાં કિરણો વિસ્તારથી ફેલાવ્યાં છે.
આ ઋચાઓમાં ઉષાનાં કિરણોને ગાયો અથવા પશુનું રૂપક છે; અને અહિં ચન્દ્રનાં કિરણોને ગાયો કહી છે.
કડી ૩, ચરણ ૧,૨. તારલાહરણટોળું ન્હાસતું - એ કલ્પના અંગ્રેજી કવિ શેલીના 'Dawn' નામના ન્હાનાસરખા કાવ્યમાંના એક રૂપક ઉપરથી આવી છે; અને વસ્તુતઃ એ બીજમાંથી જ આ ' પ્રભાત' કાવ્યનો વિકાસ છે.
તે કાવ્ય નીચે પ્રમાણે છેઃ-
“The pale stars are gone!
For the sun, their swift shepherd,
To their folds them compelling,
In the depths of the dawn,
Hastes in meteor-eclipsing array, and they flee
Beyond his blue dwelling,
As fawns flee the leopard.”
- (Prometheus Unbound)
અહિં તારાઓ અને સૂર્ય વચ્ચે ઘેટાં (અથવા ગાયો) અને ભરવાડના સંબન્ધની પ્રથમ કલ્પના કરી, પછી સૂર્ય તે દીપડો અને તારા