પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૧ )

ને મૉતે હરી લીધા તેશું કો સમે
વાતલડી કરવાનો મારગ કહિં જડે ? ૨

ઓ ચંદા ! તું જાણે સઘળી વાતને
જે મૉતતણા દાસ હમે નવ જાણિયે;
વીનવી ક્હેજે આટલું મ્હારા નાથને, -
"દાસી દીન ઉપર કંઈં રોષ ન આણિયે. ૩

ભૂલી ન જશો નિજ દાસીને કંથ જો,
સ્વર્ગસુખે રહી એકલડા આનન્દમાં,
મુજને દાખવાજો એ સ્થળનો પંથ જો,
બોલાવી દોડી વળગીશ તમ કંણ્ઠમાં." ૪

અનિલ ! ત્હને કાં ગમે રમત મુજ કેશશું ?
નિર્દય જગના જનને એ નવ પાલવે;
તો અળગી હું સહુ થકી કોરે વસું,
ન પડે રસ મુજને જગમાં કાંઈં હવે. ૫

ઓ ઊંચા, ઊંચા, આકાશ ! તું કાં મ્હને
ઊચકી લઈને નવ રાખે નિજ અંગમાં ?
છૂટું ક્રૂર જગતના જનથી હું, અને
વસું સુખે આ તારલિયાની સંગમાં. ૬

સરિતા ! તુંજ હઇડે કે'વો આ ચાંદલો ?
વશિયા ત્હેવા મ્હારે હઇડે નાથજી,