આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૧ )
ને મૉતે હરી લીધા તેશું કો સમે
વાતલડી કરવાનો મારગ કહિં જડે ? ૨
ઓ ચંદા ! તું જાણે સઘળી વાતને
જે મૉતતણા દાસ હમે નવ જાણિયે;
વીનવી ક્હેજે આટલું મ્હારા નાથને, -
"દાસી દીન ઉપર કંઈં રોષ ન આણિયે. ૩
ભૂલી ન જશો નિજ દાસીને કંથ જો,
સ્વર્ગસુખે રહી એકલડા આનન્દમાં,
મુજને દાખવાજો એ સ્થળનો પંથ જો,
બોલાવી દોડી વળગીશ તમ કંણ્ઠમાં." ૪
અનિલ ! ત્હને કાં ગમે રમત મુજ કેશશું ?
નિર્દય જગના જનને એ નવ પાલવે;
તો અળગી હું સહુ થકી કોરે વસું,
ન પડે રસ મુજને જગમાં કાંઈં હવે. ૫
ઓ ઊંચા, ઊંચા, આકાશ ! તું કાં મ્હને
ઊચકી લઈને નવ રાખે નિજ અંગમાં ?
છૂટું ક્રૂર જગતના જનથી હું, અને
વસું સુખે આ તારલિયાની સંગમાં. ૬
સરિતા ! તુંજ હઇડે કે'વો આ ચાંદલો ?
વશિયા ત્હેવા મ્હારે હઇડે નાથજી,