આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૫ ]
જ૦-ના.
સ૦–પરદેશ પ્રધાને વળતી મુલાકાત લીધેલી એ તમે ક્યાંથી જાણ્યું ?
જ૦–શ્રી હાચિયાના અહેવાલમાંથી.
સ૦–હું તમને કહું છું કે શ્રી હાચિયા પાસે એળખાણ-પત્રો નહોતા તેથી એમની સાથે કાંઈપણ વ્યવહાર રાખવાનો શ્રી સુભાષચંદ્ર બોઝે ઈન્કાર કરેલો ? એ સાચું છે ?
જ૦-હા, શ્રી હાચિયાના અહેવાલ પ્રમાણે એ સાચું છે.
સ૦-અને તમે એમ કહો છો કે શ્રી સુભાષચંદ્ર બોઝના કહેવાથી જાપાનીસ સરકારે એળખાણ–પત્રો મોકલવાનો નિર્ણય કરેલો ?
જ૦-હા.
'સ૦–એ વિનંતિ લેખિત હતી ?
જ૦-ના.
સ૦–એવી મતલબનો કોઈ અહેવાલ શ્રી હાચિયા તરફથી તમને મળ્યો હતો ?
જ૦—હા.
સ૦–હકીકતમાં તો એાળખાણપત્રો એમને રંગુન કદી પહોંચ્યા જ નહોતા ને ?
જ૦-ના.
સ૦-ટોકીઓથી એળખાણ-પત્ર રવાના થયા તેની તારીખ તમે આપી શકશો ?
જ૦–૧૯૪૫ના મેની અધવચમાં
'સ૦–બ્રિટિશ લશ્કરે તે(મે)ની ૩જીએ રંગુનમાં પ્રવેશ કર્યો હતો તે તમે જાણો છો ?
જ૦-હા.