આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૧ ]


ન જોઈએ, કારણકે જે કાંઈ આવી પડશે તે ઉપલા અફસરો ઉપર આવશે.'

ફરિયાદપક્ષે તે પછી જ્યારે પોતાના દસમા સાક્ષી જમાદાર મહમદ નવાઝને હાજર કર્યા, ત્યારે બચાવપક્ષના વકીલ શ્રી ભુલાભાઈએ અદાલતનું ધ્યાન એ હકીકત તરફ દોર્યું કે સાક્ષીની જુબાનીના સારમાં પહેલી આ૦ હિ૦ ફો૦ ને લગતી વિગતો છે. અને બીજી આ૦ હિં૦ ફો૦ ઊભી કરતાં પહેલાં ગુજારાયેલા કહેવાતા સિતમો અને મુસીબતો સાથે એને કાંઈ સંબંધ નથી. આ મુદ્દાનો વિચાર કરવા અદાલત ઊઠી અને પાછા આવીને પ્રમુખશ્રીએ જાહેર કર્યું કે ૧૯૪૨ ના મે માસ પછીના સિતમો અને મુસીબતોની જુબાની જ દાખલ કરવાનો અદાલતે નિર્ણય કર્યો છે.

૨૪મી નવેંબર : શનિવાર

: ૬ :

 :

જમાદાર મહમદ નવાઝે પોતાની જુબાનીમાં કહ્યું કે –

૧૯૩૦માં હું હિંદી લશ્કરમાં જોડાયો. મલાયામાં મને યુદ્ધકેદી બનાવવામાં આવેલો. આ૦ હિં૦ ફો૦માં જોડાવાની મેં ના પાડી. એક નજરકેદ છાવણીમાં હું હતો ત્યારે એક રાત્રે અગિયાર વાગે મને એક અફસરે બોલાવીને કહ્યું કે, આવી આકરી જિંદગી ગાળો છો એના કરતાં બહેતર છે કે તમે આ૦ હિં૦ ફો૦માં ભરતી થઈ જાવ. જો તમે આ૦ હિં૦ ફો૦માં નહિ જોડાવ તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે, ખાસ તો એટલા માટે કે બીજાને પણ તમે આ૦ હિં૦ ફો૦માં ન જોડાવાનું કહી રહ્યા છો. તેમ છતાં હું ન જોડાયો. બીજે દિવસે મને અને ભરતી થવાની ના પાડનાર આઠ બીજા અફસરોને કૂચ કરાવવામાં આવી. અમે કૂચ કરતા હતા ત્યારેા આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓએ અમને લાઠીથી માર્યા હતા. છાણના કોથળા ભરી ભરીને ૩૦૦ વાર છેટે લઈ જવાનું પણ અમને કહેવામાં આવેલું.

અમને એમ પણ કહેલું કે જો કોઇ પોતે બીમાર છે એમ કહેશે